Posts

સ્વાંતઃ સુખાય :પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર

સ્વાંતઃ સુખાય : પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર  આજનાં અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં દરેક મનુષ્ય માટે સૌથી મહત્વની અને જરૂરી બાબત એટલે મનની શાંતિ. ભૌતિક વસ્તુઓ અમુક ક્ષણ કે કલાકો માટે કદાચ આનંદ આપી શકે પણ પરમ શાંતિની અનુભૂતિ માટે તો પ્રકૃતિનાં શરણે જ જવું પડે છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માટે લોકો અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે જેમાં જંગલોમાં ફરવું, કુદરતી સ્થળોમાં રહેવા જવું, લુપ્ત થતી જતી વનસ્પતિઓને શોધવી અને તેનું સંવર્ધન કરવું, બીજ એકત્ર કરવાં, બીજારોપણ કરવું, બીજને યોગ્ય જગ્યાએ પહોચાડવા, લુપ્તપ્રાય વનસ્પતિઓને ઉછેરવા માટેનો પ્રયાસ કરવો વગેરે જેવાં અનેક કાર્યોનો સમાવેશ થાય છે. આપણને જે કાર્ય કરવું ગમતું હોય તે પ્રકારનાં લોકો સાથે કુદરત મેળાપ કરાવી જ આપે છે. આવું એક સુંદર સંસ્થાન એટલે વન વગડો ગ્રુપ. આ ગ્રુપનાં મિત્રો દ્વારા વર્ષોથી કુદરત અને કુદરતી સંપદા એવાં વૃક્ષો, બીજના જતન અને સંવર્ધનનું કાર્ય એકદમ સમર્પિત અને અપેક્ષારહિત અવિરતપણે ચાલ્યાં જ કરે છે. આવાં મિત્રોના સથવારે બીજ વિતરણ અને વૃક્ષારોપણ કરવાનો મને અવસર મળ્યો. વૃક્ષારોપણને પોતાના જીવનનું મિશન બન...

ચિકમંગલુર ડાયરી Coffee land of karnataka

ચિકમંગલુર ડાયરી  Coffee land of karnataka   ચેપ્ટર 1 ટ્રેનનો યાદગાર પ્રવાસ પ્રવાસ માટે જ્યારે ઘર બહાર પગ મૂકીએ ત્યારથી જ પ્રવાસ ચાલુ થઈ જાય છે કારણ, મૂળ ગંતવ્ય સ્થાન પર પહોંચતાં પહેલાંના પ્રવાસની મજા પણ અનેરી હોય છે. ટ્રેન એ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સાધન જ નહી સાથે સાથે યાદો અને અનુભવોની એક સફર છે. પ્લેન કે બસ કરતાં ટ્રેનની મુસાફરીમાં જે નિરાંત અને મજા આવે છે, તે કંઈક અલગ જ હોય છે. અમારા તાજેતરના પ્રવાસની શરૂઆત પણ આવી જ એક સુંદર મજાની ટ્રેન જર્નીથી થઈ. કર્ણાટકના હિલ સ્ટેશન અને "કોફી લેન્ડ ઓફ કર્ણાટક" તરીકે વિશ્વ વિખ્યાત અને યુનેસ્કો હેરિટેજમાં સ્થાન પામેલાં વેસ્ટર્નઘાટની વચ્ચે આવેલું સુંદર મજાનું શાંત હિલસ્ટેશન ચિકમંગલુર એ અમારું ગંતવ્ય સ્થાન. બેંગલોર અને મેંગલોર બન્ને શહેરોથી ચિકમંગલુર પહોંચી શકાય.  મુસાફરીની પળોને યાદગાર બનાવવા અમે મેંગલોરથી જવાનું પસંદ કર્યું. મુંબઈથી મેંગલોર સુધી અરબી સમુદ્રના કિનારે અને પશ્ચિમ ઘાટ વચ્ચે પસાર થતી કોંકણ રેલ્વે ભારતની સૌથી સુંદર અને યાદગાર રેલ સફર પૈકીની એક છે. કોંકણ રેલવેની મુસાફરી એટલે યાદોનો હરિયાળો પટારો. બારીમાંથી...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માંણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5)✍️ અમી દોશી 10જાન્યુ.2023

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5) (મેલાટોનિન) ✍️ અમી દોશી       10જાન્યુ.2023 વોચમેને ઓલવેલ (આલબેલ)પોકારી, સળિયો પછાડ્યો અને  બેડ પર પડખા ઘસતાં ઋષભની નજર ટીક ટીક કરતી વોલ ક્લોક પર પડી બે દિવસથી લાગતી બેચેનીને કારણે તેણે એક દિવસની રજા લીધી હતી પણ રાત્રીનો દોઢ થવા આવ્યો છતાં તેને ઊંઘ ન જ આવી . ઋષભ ક મને ઉભા થઇ કબાટમાં રાખેલ સ્લીપિંગ પીલની સ્ટ્રીપ ઉઠાવી તેમાંથી એક ગોળી લઈ ફરી બેડરૂમમાં આવીને સૂતો તેમ છતાં ઊંઘ તો ન જ આવી.આ તો ઋષભ માટે રોજનું થયું.પોલીસ ડિપાર્ટમેન્ટમાં કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ઋષભે ખૂબ સારી નામના મેળવી હતી. ચોવીસ કલાકની એકદમ અનિશ્ચિત ડ્યુટી ,અઠવાડિયામાં બે વાર નાઈટ પેટ્રોલિંગ ઉપરાંત ગુન્હાઓને ઉકેલવા માટેની મગજની કસરત સાથે વીઆઇપી પ્રોટોકોલ તો ખરા જ ક્યારેક ઋષભને પણ થતું કે પોલિસ ડિપાર્ટમેન્ટમાં આવતાં પહેલાં કેટલી કલ્પનાઓ કરેલી પણ 24 કલાકનો સમય પણ જાણે ઓછો પડતો હતો. પથારી તરફ નજર પડતાં જ સુંદર મજાની પત્ની રીતકા દેખાઈ અને ક્ષણભરમાં અલોપ થઈ ગઈ.વ્યથિત થઈ ગયો ઋષભ.હા એ ચાલી ગઈ હતી એને છોડીને ...વાતમાં આમ જોઈએ તો કાંઈ નહતું અને એ...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -4)✍️અમી દલાલ દોશી

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -4) (નોર્પીનેફ્રીન) ✍️અમી દલાલ દોશી ભારતવર્ષનું સૌથી મહાયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં લડાવાની તૈયારી થઈ ચૂકી હતી. જેમાં એક બાજુ કૌરવની સેના અને બીજી બાજુ પાંડવોની સેના ઉભી હતી. વીર અર્જુનના રથને હંકારીને શ્રીકૃષ્ણ પાંડવસેનાની મોખરે લાવે છે ત્યારે કૌરવસેનામાં પોતાના સ્વજન એવાં મહાયોદ્ધાઓને લડવા માટે ઉભેલા જોઈ ને અર્જુનનાં ગાત્રો ઢીલાં પડી જાય છે, શરીરમાંથી કંપારી છૂટી જાય છે અને ગાંડીવ હાથમાંથી સરકવા લાગે છે. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધ નહીં લડી શકું. આમ કહી તેણે ગાંડીવ નીચે મૂકી દીધું. તે સમયે શ્રીકૃષ્ણે અર્જુનની સ્થિતિ જોઈ ગીતાનો ઉપદેશ આપ્યો. જેના પરિણામે અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો, એટલું જ નહીં, કૌરવસેનાના અજેય ગણાતા ધુરંધર યોદ્ધાઓ સામે મહાભારતના યુદ્ધમાં જીત પણ મેળવી. મિત્રો, વીરયોદ્ધા અર્જુન સાથે યુદ્ધ પૂર્વેની ક્ષણોમાં એવું તે શું બન્યું કે તેમણે હથિયાર હેઠાં મૂકવા પડે? અર્જુનની આ સ્થિતિ માટે જવાબદાર હતી મનુષ્યના મગજના એક કેમિકલ નોરપીનેફ્રીનની કમાલ. તો ચાલો આજે તેના વિશે જાણીએ. નોરપીનેફ્રીન શું છે? નોરપીને...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-3)✍️ અમી દલાલ દોશી28 જૂન 2020

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-3) ( ઓક્સીટોસિન) ✍️ અમી દલાલ દોશી 28 જૂન 2020 દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર  પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરહંતનો હાથ કસીને પકડ્યો હતો આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી. તેનો હાથ પસવારતા અરહંત સતત તેને હૂંફ અને પોતાના સહવાસનો સધિયારો આપતો હતો. હોસ્પિટલમાં પ્રવેશતાં જ  અમૃતાને ઇમરજન્સી કેસ હોવાથી સીધી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. ડોક્ટર શાહ અને તેનો સ્ટાફ તૈયાર જ હતા. પ્રસવ વેદના સાથે  ઝઝૂમતી અમૃતાનો આખરે છેક સવારે છૂટકારો થયો. સુંદર મજાની ફૂલ જેવી બાળકીને જોતાં જ જાણે તમામ દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ હોય તેમ અમૃતા ગાઢ નિદ્રામાં સરકી ગઈ.  મિસરીના પ્રવેશથી અમૃતા અને અરહંતનું જીવન પૂરબહારમાં ખીલી ઊઠ્યું. ખાસ કરીને અમૃતાનો મોટા ભાગનો સમય  મિસરીની પાછળ જ પસાર થતો. એને નવડાવવી, તૈયાર કરવી, રમાડવી, કાલીઘેલી ભાષામાં વાત કરવી અને સ્તનપાન કરાવવામાં અમૃતાને જે માતૃત્વ અને ખુશીનો આનંદ પ્રાપ્ત થતો તે અ...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -2)

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -2) (સેરેટોનિન) -------------///------------//----- ✍️અમી દલાલ દોશી        17 જૂન 2020 આપણે આગાઉ જોયું કે માણસના મગજના સાત અગત્યના ન્યુરોટ્રાન્સમીટર્સ/ કેમિકલ્સ પૈકી ડોપામીન આપણા તન અને મનની તંદુરસ્તી પર કેવી રીતે અસર કરે છે. આજે આપણે બીજા એક અગત્યના ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઇન કેમિકલ *સેરોટોનિન* વિશે જાણીએ.  આયુષ્યમાન અને આયુષી હનીમૂન પરથી પરત આવ્યા હનીમૂનની ખુશી બંનેના ચહેરા પર છલકતી હતી. બંનેના જીવનમાં મોજ, મસ્તી અને આનંદ છવાયેલાં હતાં. આયુષ્યમાન અમદાવાદ સ્થિત પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનજર તરીકે જોબ કરતો હતો. પગાર સારો હતો, એટલે તેમણે અમદાવાદમાં 2 રૂમનો એક ફ્લેટ ભાડે રાખી લીધો. આયુષ્યનમાનની રજા પૂરી થતાં તેણે જોબ પર જવાનું શરૂ કર્યું. આયુષી ખૂબ જ સંસ્કારી, સમજદાર અને ભણેલી સ્ત્રી હતી. તેમણે ખૂબ જ સરસ રીતે ઘર સંભાળી લીધું. બંને જીવનથી સંતુષ્ટ હતા. સમય પસાર થતા ધીમે ધીમે બંને પોતપોતાના કામમાં પરોવાઈ ગયા. આયુષ્યમાન સવારે 9 વાગ્યે જોબ પર નીકળતો અને સાંજે 7 વાગ્યે ઘરે આવતો. પરંતુ આયુષીએ જોયું કે છેલ્લા થોડા સમયથ...

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

Image
કોંકણ કોલિંગ  ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી ,  રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...) રાયગઢથી નીચે ઉતરી પાચડ ગામમાં આવીએ એટલે અહીં છત્રપતિ શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈનું સમાધિ સ્થળ છે. થોડે આગળ જઈએ એટલે બૌધ ગુફાઓ આવેલી છે. વરસાદને કારણે અંદર જઈ શકાય તેમ પણ નહોતું. પાચડ ગામથી નીચે ઉતરીએ એટલે મહાડ આવે અહીંના પ્રખ્યાત વડાપાઉં ખાધાં, આંખમાં પાણી આવી ગયાં પણ મજા પડી ગઈ.. રોડ પર આવેલી એક હોટલમાં રાત્રિ મુકામ કરી અને સવારે ચિપલૂણ જવા નીકળ્યાં ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ફરી એક સુંદર સવાર , વાદળોની પાછળ છુપાયેલ સૂર્યદેવ, વરસતો વરસાદ, સર્પીલી સડકો, તેની પર પાણીની જેમ વહેતી જતી અમારી ગાડી, મિત્રોનો સંગાથ, મ્યુઝિક ~ ગીતો, નાસ્તો ...બીજું શું જોઈએ. સ્થાનિક લોકો જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી કહે છે તે, ( સરકારનો દાવો નથી પણ અહીં એવરેજ 160 ઇંચ વરસાદ થતો હોય છે એવું તેમનું કહેવું છે) ચિપલૂણ કોંકણનું એક અગત્યનું , રમણીય અને પ્રાચીન કથાઓ સાથે જોડાયેલું નગર છે. કોંકણને ભગવાન પરશુરામના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે...