ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ (ભાગ:3) અંતિમ
અમી દોશી તા.18 જાન્યુ.2023 રાજકોટ ધોળાવીરા જવાનો વિચાર આવે એટલે તરત જ એમ થાય કે જેમને આર્કિયોલોજીકલ સાઈટ જોવામાં રસ હોય તે લોકો જાય. બાકી છેક છેવાડાનાં પ્રદેશમાં આટલા બધાં કિલોમીટરની મુસાફરી કરી અને માત્ર પથ્થર જોવાં શું જવાનું? તો મિત્રો, હું જણાવીશ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આપણું ધોળાવીરા એ માત્ર નિર્જીવ પથ્થરો નહીં, પરંતુ, હજારો વર્ષ અગાઉની જીવતાંજાગતાં, અતિ હોંશિયાર, બુદ્ધિશાળી લોકોની સંસ્કૃતિ હતી. જો તમે આર્કિયોલોજીકલ સાઈટના ચાહક નથી, પરંતુ તમને કુદરતી સૌંદર્યને માણવાનો શોખ છે, તો પણ તમારે ધોળાવીરા જરુર જવું જોઈએ. તમને કલાકો સુધી એકદમ સુમસામ રોડ અને રોડની બંને તરફ ફેલાયેલી કુદરતી સંપદા(વિશાળ રણ)ને અનિમેષ નજરોથી નિહાળવાનો શોખ છે, તો તમે આ પ્રવાસને એક સુંદર ડ્રાઈવ તરીકે પણ માણી શકો. પૂનમની રાતે ચાંદનીની સાખે રણના અફાટ સૌંદર્યને કોઈના સથવારે હૃદયમાં ઉતારી લેવાની ઈચ્છા છે, તો પણ તમે ધોળાવીરા જઈ શકો. જેમાં ચાંદની રાત, મિત્રોનો સાથ, સંગીતની જમાવટ ઘણું બધું હોઈ શકે. અહીં સમયની કોઈ પાબંદી નથી. સૂર્યોદયના શોખીન વહેલી સવારનો આનંદ માણી - નિહાળી શકે,અન...