Posts

જાને કહાં ગયે વો દિન....

Image
જાને કહાં ગયે વો દિન.... સામાન્યરીતે આપણી આસપાસ વાતો કરતાં લોકો પાસેથી અવાર નવાર  એવું બોલતાં સાંભળીએ છીએ કે,  'પહેલાં જેવી મજા નથી'....જીવન પહેલાં જેવું નથી રહ્યું... કારણ કે સમયની સાથે ઘણું બદલાઈ ગયું છે અને બદલાઈ રહ્યું છે.  ભારતીય સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવવાની પરંપરા પાછળ આપણા ઋષિ મુનીઓનું જબરજસ્ત લોજીક રહેલું છે પરંતુ અફસોસ કે આજે પોતાને અલ્ટ્રા મોર્ડન ગણતી પેઢી એ પરંપરાને આઉટ ડેટેડ ગણીને સેન્સલેસ આધુનિકતા પાછળ ગાંડી થઈ રહી છે.  ગણપતિ મહોત્સવ આવે છે ત્યારે ગણપતિ નામનાં જ રહે છે અને એની આજુબાજુનો માહોલ વધુ અગત્યનો બની જાય છે. ફિલ્મી ગીતો પર મોડી રાત સુધી ધમાલ કરવી અને બીજું ઘણું બધું. આસપાસનાં વિસ્તારો અને મહોલ્લા કે, સોસાયટીથી ચડિયાતા સાબિત થવા માટે આપણે કેટલાં હવાતિયાં મારીએ છીએ, કેવાં ભ્રમમાં જીવીએ છીએ. ગણપતિનાં આગમન વિસર્જનના (ધર્મ) નામે જે તાયફા થાય છે તે શું દર્શાવે છે ?  નવરાત્રિ જેવો અનેરું મહત્વ ધરાવતો પવિત્ર તહેવાર કેટલો વિકૃત બની ગયો છે કે, કેટલાંક લોકો તેને નવરાત્રિને બદલે લવરાત્રી કહેવા માટે મજબૂર બની ગયાં છે. ફેશન અને ટ્રેન્ડનાં ન...

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

Image
ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ અમથી ગર ગાંડી નથી  કે'વાઈ, જ્યાં પ્રકૃતિનો નહિ પાર, અહીં મદભર ગેહંકે મોરલા, રૂડો કોયલ રાગ.                           ( એક મિત્રની રચના) ગીરની ગોદ એટલે જ્યાં સાવજનાં ટોળાં હોય કે એકલો વનરાજ પોતાની મસ્તીમાં ચાલતો જતો હોય તો ક્યાંક વળી દૂર દૂરથી તેની કરડાકી ભરેલી ડણક સંભળાતી હોય, હરણ અને વાંદરાની ટોળીઓ મળી અને મોજ કરતી હોય, ચાલાક દીપડાઓ નજર ચૂકવીને શિકાર કરતાં હોય, નીલગાયના ટોળાંઓ ફરતાં હોય, ચિંકરાઓ સાવજની હૂક સાંભળી અને છલાંગ મારતાં કૂદતાં જતાં હોય, મોર ટહુકાર કરી અને પોતાની પ્રિયતમાને રીઝવવાની કોશિશ કરતો હોય તો ક્યાંક ડાલામથ્થા સામે ટોળકી બનાવી શિંગડા ભરાવી અને ભગાડી દેતી બહાદુર ભેંસોનું ટોળું.   ગીર એટલે શિયાળે - ચોમાસે સોળે કળાએ ખીલતું અને ઉનાળામાં પાનખરમાં સૂકું ભઠ્ઠ બની જતું જંગલ. પક્ષીઓની કિલકારીઓથી ગાજતું વન એટલે ગીર. ક્યારેક ખળખળ વહેતાં નદી નાળાથી છલકાતું અને ક્યારેક પીવાં માટે પાણીનાં છીછરાં પોઇન્ટ ભરવાં પડે તેવું સૂકું ગીર. ગીરનું જંગલ એટલે નેસડામાં રહેતાં માલધારીઓ......

કિચન ગાર્ડનની પાઠશાળા

Image
ચોમાસું એટલે ઉનાળાની દાહક ગરમી પછીની હ્રદય મનને ભીંજવતી ઠંડક. કુદરત સોળે કળાએ ખીલે ત્યારે માનવ જ નહિ પશુ પક્ષીઓમાં એક આનંદનો ઉન્માદ જાગે છે.. ચોમાસું એટલે ઘણાં બધાં વૃક્ષોને વાવવાની ઈચ્છા જગાડતી ઋતુ. કહેવાય છે કે, તન મન તરબતર કરતી આ ઋતુમાં જે કંઈ વાવો એ તુર્તજ ઉગી નીકળે પછી તે છોડ હોય કે લાગણી. છોડ વાવવાની વાત આવે એટલે દરેક વ્યક્તિ એમ તો કહે જ કે, " મને પણ બહુ શોખ છે, મને પણ બહુ ગમે". હું પણ વાવું છું. ખરેખર છોડ વાવવાની અને પછી તેને સફળતાપૂર્વક ઉછેરવાની આવડતની એક કસોટી રાખવામાં આવે તો મોટાં ભાગના લોકો ફેઇલ થાય અથવા માંડ માંડ પાસ થાય. આવી જ એક પાઠશાળા આજે રોટરી કલબ ગ્રેટરમાં હતી અને ભણાવનાર શિક્ષક હતાં અમારાં મિત્ર પ્રવીણભાઈ પટેલ. દાયકાઓથી એગ્રો પ્રોડક્ટ્સનાં વ્યવસાય સાથે જોડાયેલાં પ્રવીણભાઈ એ આ વ્યવસાયમાં જ પોતાનું ઇકિગાઈ ( હવે તો બધાને આ શબ્દની ખબર જ હશે) તેમાં જ શોધી લીધું છે. ખેડૂતોને શીખવતાં શીખવતાં સમાજનાં દરેક લોકોને ઘર આંગણે શાકભાજી ઉગાડતા કરવાની નેમ સાથે તેમણે ટેલીગ્રામ ચેનલ, ફેસબુક પેજ (રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી) દ્વારા સોશિયલ મીડિયા શિક્ષણ ચાલુ કર્યું. પ્રચંડ પ્...

સુપર ફુડ : માઇક્રોગ્રીન્સ (બેબી ગ્રીન્સ)

Image
સુપર ફુડ : માઇક્રોગ્રીન્સ (બેબી ગ્રીન્સ)  કઠોળને ફણગાવીને ખાવાથી ખૂબ ન્યુટ્રીશન મળે છે તે વાતથી આપણે સહુ સુપેરે માહિતગાર છીએ અને મોટાભાગે ફણગાવેલાં કઠોળ વિવિધ સ્વરૂપે ખોરાકમાં ઉપયોગમાં લેતાં હોઈએ છીએ પણ આજે તેનાથી એક ડગલું આગળ ચાલી અને આજનાં યુગનાં સુપર ફૂડ એવાં માઇક્રોગ્રીન્સ એટલે કે બેબી ગ્રીન્સને ઓળખીએ. લગભગ 2019 થી મેં માઇક્રોગ્રીન્સ ઉગાડવાનું શરૂ કર્યું. જુદાં જુદાં મગ, ચણા, વાલ જેવાં કઠોળનો પ્રયોગ પહેલાં કર્યો. ત્યારબાદ સમયાંતરે શાકભાજી, મગફળીનાં બીજમાંથી માઇક્રોગ્રીન્સ ઉગાડવાના પ્રયત્નો કર્યા. માઇક્રોગ્રીન્સની ખાસિયત કહો કે મજા માત્ર 10થી 14 દિવસમાં (જુદાં જુદાં બીજ અનુસાર સમય) ઉપયોગ કરવા લાયક બની જાય છે. બીજમાંથી છોડ સ્વરૂપે બહાર આવે છે ત્યારે ઉપર બે પર્ણ ઉગે છે.જ્યારે તેની ઊંચાઈ એક થી દોઢ ઇંચ જેટલી થાય ત્યારે cotlydons એટલે કે બીજપત્ર અવસ્થામાં તેની ન્યુટ્રીશનની ગુણવત્તા સૌથી વધુ હોય છે. તે સમયે ઉપરથી કાપી અને તેનો ઉપયોગ સલાડ કે અન્ય કોઈપણ રીતે ખાવામાં કરી શકાય છે.  કોઈપણ વ્યક્તિ એકદમ સરળતાથી કોઈપણ કઠોળ કે શાકભાજીનાં માઇક્રો ગ્રીન્સ ઉગાડી શકે છે. એકદમ છીછરાં પાત્રમા...

જૂનું ઘર છોડતી વેળાએ

Image
ટૂંક સમયમાં કહેવાશે કે, એક હતું મારું અરણ્ય .... (જૂનું ઘર છોડતી વેળાએ) ગ્રીષ્મનાં મધ્યાહને સૂર્ય આગ ઓકતો હોય અને ચકલું પણ બહાર ફરકવાની હિંમત ન કરી શકે ત્યારે આંગણામાં હીંચકે બેસી અને ઝૂલી શકાય તેવું વાતાવરણ હોય તેને શું કહેવું... અષાઢી મેઘ અનરાધાર વરસતો હોય ત્યારે ગીરની યાદ અપાવતું અને કડકડતી ઠંડી વચ્ચે તાપણું કરીને બેસતાં કે, ચૂલા પર રીંગણાં શેકી અને બાજરીના રોટલાં સાથે ચૂલા પર રાંધેલી ખીચડીનો અનેરો સ્વાદ આપતું અનન્ય સ્થળ એટલે મારું અરણ્ય... ચારે બાજુ ફેલાયેલાં સવન, શેતુર, સાગ, ગરમાળો, લીંબુ, સરગવો, કદમ, ગ્લેરસેડિયા, કાંચનાર, કરેણ, કેળ, આંબા, બહેડા, પીલુ, ગૂગળ, કરમદા ....કોને ભૂલું કોને યાદ કરું... ગીરની યાદમાં નાનું એવું ગીર બનાવવામાં મિયાવાકી જંગલ પદ્ધતિ કારગર સાબિત થઈ અને  એકબીજા સાથે પોતાની તાકાત અને કુદરતી બંધારણ મુજબ હરીફાઈ કરી અને આભને આંબવાની કોશિશ કરતાં કરતાં બધાં છોડએ ભેગા મળી સામ્રાજ્યને ઘટાટોપ બનાવી દીધું. જાણે એકમેકનાં કાયમી સાથી. આપણને પણ આવી રીતે જીવતાં શીખવી જાય છે.   આંગણાની વચ્ચો વચ્ચ સ્થાપિત થયેલો માત્ર પંદર દિવસમાં બધાં પાન ખંખેરી અને નવાં પાનનાં ક્લેવર ધ...

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

Image
લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો પ્રેરણાદાયી સેવાયજ્ઞ  વંદનાબહેનનાં ફ્લેટની બહાર સવારે 6 વાગ્યાનું દૃશ્ય આપણાં દેશમાં દરેક ધર્મનાં નીતિ નિયમો, જપ તપ સાથે આયુર્વેદ અને સ્વાસ્થ્યને સુપેરે જોડવામાં આવ્યું છે જેને કારણે લોકો આસ્થાવશપણ જાણ્યે અજાણ્યે સ્વાસ્થ્ય માટેનાં અમૂલ્ય લાભ મેળવી શકે છે. આપણી એકાદશી પર વિદેશી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલાં રિસર્ચને એટલે તો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ચૈત્ર મહિનો અને લીમડો એ જાણે એકબીજાનાં પર્યાય હોય તેમ આપણાં જીવન સાથે વણાઈ ગયાં છે. ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલાં લીમડો આખો કોલથી લચી પડતો હોય અને જાણે ઇજન આપતો હોય કે, "મારું સેવન કરો હું  તમને આખા વર્ષ માટે ઉત્તમ સ્વાસ્થ્યની ગેરંટી આપુ છું". હું છેલ્લાં વીસ વર્ષથી ચૈત્ર મહિનામાં લીમડાનાં કૂણાં પાન, કોલ(ફૂલ) અને આંતર છાલનું સેવન કરું છું.(ચાવીને/ જ્યુસ સ્વરૂપે) કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષનાં દરેક ભાગને આયુર્વેદમાં પણ ખૂબ ઊંચો દરજ્જો પ્રાપ્ત છે.  આજે લીમડાનાં ફાયદા વિશે વધુ વાત નથી કરવી પણ એક અનોખી વાત કરવી છે. પાણીનાં કે છાશનાં પરબ લગભગ દરેક વ્યક્તિએ જોયાં હશે પણ લીમડાનાં જ્યુસનું ...

ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 6 (અંતિમ)

Image
ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 6 (અંતિમ) ચૌરાસી કુટિયા/ બીટલ્સ આશ્રમ બીટલ્સ બેન્ડ હોલ  ચારે તરફ ખંડેર જોઈને તત્કાલીન સમયની ભવ્યતા, વિશાળતા કે વૈભવની કલ્પના થઈ શકે અથવા એ ભવ્ય ભૂતકાળની કલ્પના કરી અને આનંદનો અનુભવ કરી શકવાની ક્ષમતા કે શોખ હોય તેમણે જ આ સ્થળે જવાનો કાર્યક્રમ બનાવવો. મારી મુલાકાત દરમિયાન મેં લોકોને એવું કહેતાં સાંભળ્યાં કે, ઓહ! અહીં તો કંઈ જોવાં જેવું નથી.' એમને એ ખ્યાલ નહીં હોય કે ખંડેરમાં આલીશાન ઇમારત જોવાં માટે એક ખાસ દ્રષ્ટિ અને રુચિ જોઈએ. ખંડેરમાં જેમને રસ છે તેમનાં માટે આ જગ્યાને શાંતિથી જોવાં ઓછામાં ઓછાં ત્રણ ચાર કલાક અને (મારાં જેવાં લોકોએ) અહીંના સ્પંદનોને અનુભવવા માટે લગભગ આખો દિવસ માંગી લે તેવું સ્થળ છે. બાકી ઘણાં લોકોને એમ પણ થઇ શકે કે, 'અહીં ખંડેર જોવા શું આવ્યાં...!' પણ કહેવાય છે ને કે, पसंद अपनी अपनी। વધુ સસ્પેન્સ નહીં રાખું. આજે વાત કરવી છે ઋષિકેશનાં એક એવાં જર્જરિત થઇ ગયેલાં આશ્રમની કે જ્યાં એક સમયે ઋષિકેશમાં બીજે ક્યાંય ન હોય તેવી ભવ્યતા હતી. આ આશ્રમને કારણે આજથી સાઠ વર્ષ પહેલાં યોગક્ષેત્રે ઋષિકેશનું નામ આખી દુનિયામાં ગાજતું થઈ ગયું હતુ...