Posts

વિજ્ઞાનમય કોશ

Image
મનુષ્ય જીવનનાં વિકાસનું રહસ્ય એટલે પંચ કોશ પૈકી અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ વિશે ગત અંકોમાં આપણે જોયું. આજે આ વિકાસનો ચોથો તબક્કો એટલે વિજ્ઞાનમય કોશ વિશે સમજીએ. ગુજરાતીમાં એક કહેવત છે કે,  બારે બુદ્ધિ, સોળે સાન, વીસે વાન આવ્યાં તો આવ્યાં નહિતર ગયાં... બાર વર્ષે બુદ્ધિ અને સોળ વર્ષે સાન એટલે કે સમજનો વિકાસ થાય છે મતલબ ત્યારે તે એકદમ ઉત્કૃષ્ટ સમય હોય છે.  વ્યક્તિમાં વિજ્ઞાનમય કોશના વિકાસ (વિ એટલે વિશેષ જ્ઞાન) સાથે વિવેક જાગૃત થાય છે અને વિવેકની જાગૃતિ સાથે બુધ્ધિ સ્થિર થાય છે. જે ખૂબ જરૂરી છે.   જીવનનાં કોઇપણ તબક્કે મહત્વનાં નિર્ણયો લેવા માટે દરેક પરિપ્રેક્ષ્માં વિચારીને અભ્યાસ કરીને નિર્ણય લઈ શકે તે વ્યક્તિનો વિજ્ઞાનમય કોષ વિકસેલો છે તેમ માની શકાય. આ કોશનાં વિકાસનો ઉત્કૃષ્ટ સમય 16 થી 20 વર્ષ છે. આજનાં અભ્યાસક્રમ અને જીવનપદ્ધતિની જરૂરિયાત મુજબ હરીફાઇને કારણે બાળક બુદ્ધિ અને સમજ કરતાં વધુ મહત્વ સ્મૃતિને (યાદશકિત) (ગોખણપટ્ટી) આપે છે. બાળકને અન્ય કોઈ સમજણ નથી હોતી પરંતુ સમયની માંગ તેને ગોખણીયું બનાવી દે છે કારણ તેને મેરીટની હરીફાઈમાં ટકી રહ...

પાંચાળ પ્રદેશ (ઠાંગા ડુંગર)નો એકદિવસીય પ્રવાસ

Image
પાંચાળ પ્રદેશ (ઠાંગા ડુંગર)નો એકદિવસીય પ્રવાસ લીલાંછમ ,આંખોને ઠારે તેવાં,  દૂર સુદુર ફેલાયેલાં ઘાસનાં વીડ વચ્ચે કુદરત સોળે કળાએ ખીલી હોય તેવી વનરાઈ, સેંકડો સુગરીઓ માળાની આસપાસ કિલકારી કરતી હોય, ક્યાંક હોલાં બોલતાં હોય તો ક્યાંક મોર કળા કરતાં હોય... આટલી બધી સુંદરતા એકસાથે જોવા માટે રાજકોટથી બહુ દૂર જવાની જરૂર નથી.  એ વાત સાચી છે કે, આ ઘટનાં કાલ્પનિક હોય તેવું લાગે પણ આ સ્થળ રાજકોટવાસીઓ માટે દૂર નથી. આ સ્થળ છે ચોટીલા તાલુકામાં આવેલાં ગુંદા ગામનું વીડ. ચોટીલાથી માત્ર 25 કિમી એટલે કે રાજકોટથી 85કિમી (કુવાડવા રોડ તરફથી) અને ભાવનગર રોડ પરથી જઈએ તો માત્ર 45 કિમીના અંતરે આ સ્વર્ગ જેવું સ્થળ આવેલું છે.  આણંદપુર એટલે  કાઠી દરબારનું નાનું એવું રજવાડું અને ગુંદા ગામમાં આવેલું  એકરોમાં પથરાયેલું ઘાસનું વીડ. દરેક ઋતુમાં આ વીડનાં અનોખા રંગ હોય પણ ચોમાસાંનું રૂપ એટલે લીલાં કલરનાં જુદાં જુદાં શેડની જાણે ચૂંદડી ઓઢી હોય તેવી ઠાંગા ડુંગરની પર્વતમાળાઓ લાગે. કુદરતનાં આ અનુપમ સૌંદર્યનાં વર્ણન માટે શબ્દો પણ ખૂટી પડે અને કલમની શ્યાહી પણ ઝાંખી પડી જાય...

મનોમય કોશ

Image
મન નિર્માણ અવસ્થા: મનોમય કોશ આગળનાં બન્ને અંકમાં આપણે અન્નમય કોશ એટલે કે મનુષ્યનાં શારીરિક વિકાસ અને પ્રાણમય કોશ એટલે કે, પ્રાણ શક્તિનો વિકાસ કઇ રીતે થાય છે તે જોયું. આ અંકમાં મનોમય કોશ વિશે સમજીશું. જેનાં નામમાં જ વિસ્તૃત અર્થ સમાયેલો છે તે મનોમય કોશ એટલે કે મનુષ્યનાં મનની વાત. આખું વિશ્વ જેનો અભ્યાસ કરે છે, જેનાં પર સતત સંશોધનો ચાલું જ છે તે માનવ મન ખરેખર અકળ છે. જેને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં વ્યાખ્યાયિત ન કરી શકાય તે માનવ મન છે કારણ દરેક વ્યક્તિનું મન અલગ છે. વિશ્વભરનાં મનોવૈજ્ઞાનિકો પણ ઘણાં પ્રયોગો બાદ પણ મનુષ્યનાં ચોક્કસ પ્રકારના વર્તન માટે કારણો શોધવામાં નિષ્ફળ ગયાં છે ત્યારે આ અકળ મન વિશે સમજવાં માટે કેટલીક પાયાની બાબતો સમજવી ખૂબ જરૂરી છે. મન દેખીતી રીતે કોઈ ભૌતિક અંગ નથી. વિચાર, લાગણી, વર્તન અને યાદનાં સમૂહને મન કહી શકાય. માનવ શરીર હોય, અંગો હોય કે મન, તેનો વિકાસ તો ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ ગયો હોય છે પણ મનનાં વિકાસનો સૌથી ઉચ્ચતમ તબક્કાની શરૂઆત 10 - 11 વર્ષની આસપાસ થાય છે જેથી મનોમય કોશનાં  વિકાસ માટેનાં શ્રેષ્ઠ સમયગાળાને 15 વર્ષની આયુ સુધી શાસ્ત્રોમાં ગણવામાં આવ્યો ...

પ્રાણમય કોશ: ઉતમ મનુષ્ય નિર્માણ

Image
પ્રાણમય કોશ  ઉતમ મનુષ્ય નિર્માણ એટલે પંચ કોશ વિકાસ.. ગત અંકમાં આપણે અન્નમય કોશ વિશે સમજ્યાં. અન્નમય કોશ પછીનું સ્તર છે પ્રાણમય કોશ. જે પોતાની જ શક્તિથી વધે છે અને ઘટે છે તે માટે કોઈ બાહ્ય માધ્યમની આવશ્યકતા હોતી નથી તેને પ્રાણ કહે છે. પ્રાણ એટલે કે જીવનશક્તિ. તેમાંથી જ અન્નમય કોશનું નિર્માણ થાય છે અને શરીરનાં તમામ કોષમાં એક સમાન અને સુસંગત રીતે પ્રાણનો પ્રવાહ પ્રાપ્ત થાય છે ત્યારે કોષ જીવંત અને સ્વસ્થ રહે છે. શરીર (અન્નમય કોષ)નાં જુદા જુદા ભાગોમાં જરૂરિયાત અનુસાર ફરવાની શક્તિ  પ્રાણ ધરાવે છે. પ્રાણમય કોશ એ ભૌતિક શરીર અને માનસિક શરીર વચ્ચેનો બંધ છે.જીવનની શરૂઆત શ્વાસથી થાય છે અને મૃત્યુ પણ છેલ્લા શ્વાસ સાથે આવે છે. પ્રાણ વિના જીવન શક્ય નથી. પ્રાણ એ શક્તિનું સંચરણ છે. શરીરની અંદર રહેલી આંતરિક શક્તિ, વાયુ, ફોર્સ એટલે પ્રાણમય કોશ. પ્રાણ શક્તિ જીવન માટે ખૂબ જરૂરી એવાં સાહસની દ્યોતક છે. મનુષ્ય હોય, વનસ્પતિ હોય કે પશુ-પક્ષી, દરેક પોતાની કુલ પ્રાણશક્તિનાં 40ટકાનો જ ઉપયોગ કરતાં હોય છે બાકી 60 ટકા રિઝર્વ રાખતાં હોય છે. જ્યારે જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે છે ત્યારે આ પ્રાણ...

માનવ જીવનનાં સર્વાંગી વિકાસનું રહસ્ય: પંચકોશ વિકાસ

Image
માનવજીવનનાં વિકાસનું રહસ્ય: પંચકોશ વિકાસ અન્નમય કોશ  માનવજીવનનું અસ્તિત્વ પૃથ્વી પર શરૂ થયું ત્યારથી સતત જીવનનાં ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યો છે જેમાં નવી નવી શોધથી શરૂ કરી અને સાહસોનો સમાવેશ થાય છે. સારું લાંબુ અને ઉતમ જીવન જીવવા માટેની શોધ નિરંતર ચાલું જ રહે છે.  આ ઉત્થાન માટે ઉતમ શરીર અને મનનું સ્વાસ્થ્ય સૌથી વધુ મહત્વનાં છે. શરીર, પ્રાણ, મન, આત્મા, બુધ્ધિનો સમન્વય એટલે અસ્તિત્વ. આ બધાં તત્વો મળીને જ જીવન બને છે. આ તત્વોનું ધ્યાન રાખવામાં આવે એટલે મનુષ્ય જીવનની ઉત્તમ સ્થિતિ રચાય છે. આપણું શરીર એ કુદરતની અદ્ભુત ભેટ છે. જેની શારીરિક અને માનસિક બન્ને રીતે યોગ્ય સાર સંભાળ રાખવી તે આપણી જવાબદારી છે. માનવ અસ્તિત્વના પાંચ આવરણો/પડ છે. કોશને અહીં આવરણ /પડ ના અર્થમાં સમજવાનું છે. એક સમજણ માટે જોઈએ તો આ પાંચ આવરણ એટલે કે પડ છે જે એક પછી એક ખૂલતાં જાય અને સાચા અસ્તિત્વનો પરિચય થતો જાય છે. જેમ જેમ આ આવરણો પ્રત્યેની જાગૃતિ વધતી જાય તેમ તેમ સાચી સમજ આવતી જાય છે. 1.અન્નમય કોશ સૌથી બાહ્ય આવરણ 2.પ્રાણમય કોશ 3.મનોમય કોશ 4.વિજ્ઞાનમય કોશ 5.આનંદમય કોશ સૌથી અંદરનું આવરણ...

પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ માટેનું રણશિંગુ

Image
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીનું રાજ્યભરમાં રણશિંગુ ફૂંકાયું  ચાણક્યએ કહ્યું છે કે,  શિક્ષક કભી સાધારણ નહીં હોતાં, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં ખેલતે હૈ. આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીસર્વપલ્લી રાધકૃષ્ણનજી, ડૉ શ્રી એપીજે અબ્દુલ કલામ સાહેબ હોય કે ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રીદેવવ્રતજી. શિક્ષક જ્યારે ક્રાંતિ આણવાંનું નક્કી કરે છે ત્યારે પરિણામ પ્રાપ્ત કરીને જ જંપે છે. ગુજરાત રાજ્યનાં ઉધોગપતિઓ, સાધુ સંતો અને મહંતો, ખેડૂતો, ગોપાલકોને પ્રાકૃતિક કૃષિની અનિવાર્યતા સમજાવી અને દરેક લોકોને પોતાનાં ક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિને કઈ રીતે સામેલ કરવી તે બાબતે ત્રિદિવસીય બેઠકનું આયોજન રાજ્યપાલશ્રી દ્વારા રાજભવનમાં કરવામાં આવ્યું હતું.     ઉધોગપતિઓ ગુજરાત રાજ્યનું સૌભાગ્ય છે કે, આદરણીય આચાર્ય દેવવ્રતજી જેવાં પ્રકૃતિ પ્રેમી, આદર્શ શિક્ષક, સદાય લોકોની અને સમગ્ર પર્યાવરણની ચિંતા કરનારા રાજ્યપાલશ્રી મળ્યાં છે.  હરિયાણાના કુરુક્ષેત્રમાં  આવેલાં ગુરુકુળમાં પાંત્રીસ વર્ષ સુધી મુખ્ય આચાર્ય તરીકે ગર...