Posts

Showing posts from February, 2026

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માંણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5)✍️ અમી દોશી 10જાન્યુ.2023

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-5) ✍️ અમી દોશી       10જાન્યુ.2023 વોચમેને ઓલવેલ (આલબેલ)પોકારી, સળિયો પછાડ્યો અને  બેડ પર પડખા ઘસતાં ઋષભની નજર ટીક ટીક કરતી વોલ ક્લોક પર પડી બે દિવસથી લાગતી બેચેનીને કારણે તેણે એક દિવસની રજા લીધી હતી પણ રાત્રીનો દોઢ થવા આવ્યો છતાં તેને ઊંઘ ન જ આવી . ઋષભ ક મને ઉભા થઇ કબાટમાં રાખેલ સ્લીપિંગ પીલની સ્ટ્રીપ ઉઠાવી તેમાંથી એક ગોળી લઈ ફરી બેડરૂમમાં આવીને સૂતો તેમ છતાં ઊંઘ તો ન જ આવી.આ તો ઋષભ માટે રોજનું થયું.પોલીસ ડિપાર્ટમેન્ટમાં કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ઋષભે ખૂબ સારી નામના મેળવી હતી. ચોવીસ કલાકની એકદમ અનિશ્ચિત ડ્યુટી ,અઠવાડિયામાં બે વાર નાઈટ પેટ્રોલિંગ ઉપરાંત ગુન્હાઓને ઉકેલવા માટેની મગજની કસરત સાથે વીઆઇપી પ્રોટોકોલ તો ખરા જ ક્યારેક ઋષભને પણ થતું કે પોલિસ ડિપાર્ટમેન્ટમાં આવતાં પહેલાં કેટલી કલ્પનાઓ કરેલી પણ 24 કલાકનો સમય પણ જાણે ઓછો પડતો હતો. પથારી તરફ નજર પડતાં જ સુંદર મજાની પત્ની રીતકા દેખાઈ અને ક્ષણભરમાં અલોપ થઈ ગઈ.વ્યથિત થઈ ગયો ઋષભ.હા એ ચાલી ગઈ હતી એને છોડીને ...વાતમાં આમ જોઈએ તો કાંઈ નહતું અને એક રીતે જોઈએ ...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -4)✍️અમી દલાલ દોશી

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -4) ✍️અમી દલાલ દોશી ભારતવર્ષનું સૌથી મહાયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં લડાવાની તૈયારી થઈ ચૂકી હતી. જેમાં એક બાજુ કૌરવની સેના અને બીજી બાજુ પાંડવોની સેના ઉભી હતી. વીર અર્જુનના રથને હંકારીને શ્રીકૃષ્ણ પાંડવસેનાની મોખરે લાવે છે ત્યારે કૌરવસેનામાં પોતાના સ્વજન એવાં મહાયોદ્ધાઓને લડવા માટે ઉભેલા જોઈ ને અર્જુનનાં ગાત્રો ઢીલાં પડી જાય છે, શરીરમાંથી કંપારી છૂટી જાય છે અને ગાંડીવ હાથમાંથી સરકવા લાગે છે. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધ નહીં લડી શકું. આમ કહી તેણે ગાંડીવ નીચે મૂકી દીધું. તે સમયે શ્રીકૃષ્ણે અર્જુનની સ્થિતિ જોઈ ગીતાનો ઉપદેશ આપ્યો. જેના પરિણામે અર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો, એટલું જ નહીં, કૌરવસેનાના અજેય ગણાતા ધુરંધર યોદ્ધાઓ સામે મહાભારતના યુદ્ધમાં જીત પણ મેળવી. મિત્રો, વીરયોદ્ધા અર્જુન સાથે યુદ્ધ પૂર્વેની ક્ષણોમાં એવું તે શું બન્યું કે તેમણે હથિયાર હેઠાં મૂકવા પડે? અર્જુનની આ સ્થિતિ માટે જવાબદાર હતી મનુષ્યના મગજના એક કેમિકલ નોરપીનેફ્રીનની કમાલ. તો ચાલો આજે તેના વિશે જાણીએ. નોરપીનેફ્રીન શું છે? નોરપીનેફ્રીન સ્ટ્રેસ હો...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-3)✍️ અમી દલાલ દોશી28 જૂન 2020

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ-3) ✍️ અમી દલાલ દોશી 28 જૂન 2020 દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર  પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરહંતનો હાથ કસીને પકડ્યો હતો આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી. તેનો હાથ પસવારતા અરહંત સતત તેને હૂંફ અને પોતાના સહવાસનો સધિયારો આપતો હતો. હોસ્પિટલમાં પ્રવેશતાં જ  અમૃતાને ઇમરજન્સી કેસ હોવાથી સીધી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. ડોક્ટર શાહ અને તેનો સ્ટાફ તૈયાર જ હતા. પ્રસવ વેદના સાથે  ઝઝૂમતી અમૃતાનો આખરે છેક સવારે છૂટકારો થયો. સુંદર મજાની ફૂલ જેવી બાળકીને જોતાં જ જાણે તમામ દુઃખોમાંથી મુક્તિ મળી ગઈ હોય તેમ અમૃતા ગાઢ નિદ્રામાં સરકી ગઈ.  મિસરીના પ્રવેશથી અમૃતા અને અરહંતનું જીવન પૂરબહારમાં ખીલી ઊઠ્યું. ખાસ કરીને અમૃતાનો મોટા ભાગનો સમય  મિસરીની પાછળ જ પસાર થતો. એને નવડાવવી, તૈયાર કરવી, રમાડવી, કાલીઘેલી ભાષામાં વાત કરવી અને સ્તનપાન કરાવવામાં અમૃતાને જે માતૃત્વ અને ખુશીનો આનંદ પ્રાપ્ત થતો તે અવર્ણનીય હતો. અ...

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇનમાણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -2)

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ -2) -------------///------------//----- ✍️અમી દલાલ દોશી        17 જૂન 2020 આપણે આગાઉ જોયું કે માણસના મગજના સાત અગત્યના ન્યુરોટ્રાન્સમીટર્સ/ કેમિકલ્સ પૈકી ડોપામીન આપણા તન અને મનની તંદુરસ્તી પર કેવી રીતે અસર કરે છે. આજે આપણે બીજા એક અગત્યના ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઇન કેમિકલ *સેરોટોનિન* વિશે જાણીએ.  આયુષ્યમાન અને આયુષી હનીમૂન પરથી પરત આવ્યા હનીમૂનની ખુશી બંનેના ચહેરા પર છલકતી હતી. બંનેના જીવનમાં મોજ, મસ્તી અને આનંદ છવાયેલાં હતાં. આયુષ્યમાન અમદાવાદ સ્થિત પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનજર તરીકે જોબ કરતો હતો. પગાર સારો હતો, એટલે તેમણે અમદાવાદમાં 2 રૂમનો એક ફ્લેટ ભાડે રાખી લીધો. આયુષ્યનમાનની રજા પૂરી થતાં તેણે જોબ પર જવાનું શરૂ કર્યું. આયુષી ખૂબ જ સંસ્કારી, સમજદાર અને ભણેલી સ્ત્રી હતી. તેમણે ખૂબ જ સરસ રીતે ઘર સંભાળી લીધું. બંને જીવનથી સંતુષ્ટ હતા. સમય પસાર થતા ધીમે ધીમે બંને પોતપોતાના કામમાં પરોવાઈ ગયા. આયુષ્યમાન સવારે 9 વાગ્યે જોબ પર નીકળતો અને સાંજે 7 વાગ્યે ઘરે આવતો. પરંતુ આયુષીએ જોયું કે છેલ્લા થોડા સમયથી આયુષ્યમાન ...