Posts

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)

Image
કોંકણ કોલિંગ  ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી ,  રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...) રાયગઢથી નીચે ઉતરી પાચડ ગામમાં આવીએ એટલે અહીં છત્રપતિ શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈનું સમાધિ સ્થળ છે. થોડે આગળ જઈએ એટલે બૌધ ગુફાઓ આવેલી છે. વરસાદને કારણે અંદર જઈ શકાય તેમ પણ નહોતું. પાચડ ગામથી નીચે ઉતરીએ એટલે મહાડ આવે અહીંના પ્રખ્યાત વડાપાઉં ખાધાં, આંખમાં પાણી આવી ગયાં પણ મજા પડી ગઈ.. રોડ પર આવેલી એક હોટલમાં રાત્રિ મુકામ કરી અને સવારે ચિપલૂણ જવા નીકળ્યાં ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ફરી એક સુંદર સવાર , વાદળોની પાછળ છુપાયેલ સૂર્યદેવ, વરસતો વરસાદ, સર્પીલી સડકો, તેની પર પાણીની જેમ વહેતી જતી અમારી ગાડી, મિત્રોનો સંગાથ, મ્યુઝિક ~ ગીતો, નાસ્તો ...બીજું શું જોઈએ. સ્થાનિક લોકો જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી કહે છે તે, ( સરકારનો દાવો નથી પણ અહીં એવરેજ 160 ઇંચ વરસાદ થતો હોય છે એવું તેમનું કહેવું છે) ચિપલૂણ કોંકણનું એક અગત્યનું , રમણીય અને પ્રાચીન કથાઓ સાથે જોડાયેલું નગર છે. કોંકણને ભગવાન પરશુરામના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે...

કોંકણ કોલિંગ:એક સ્વપ્નીલ પ્રવાસચેપ્ટર 2 ગઢોનો ગઢ ~ રાયગઢ

Image
કોંકણ કોલિંગ:એક સ્વપ્નીલ પ્રવાસ ચેપ્ટર 2   ગઢોનો ગઢ ~ રાયગઢ કોંકણ પ્રવાસની સામાન્ય ભૂમિકા બાદ અમારી સફરની મજા લઈએ. રાત્રે લગભગ 11 વાગ્યે રાજકોટથી  દુરોન્તો એક્સપ્રેસ ટ્રેઇનમાં બેસી જઈએ એટલે સવારે આઠ આસપાસ મુંબઈ સેન્ટ્રલ પહોચાડે જેથી પૂરો દિવસ મળી રહે. સ્ટેશનથી અમારા મિત્ર રસિકભાઈ, ગીતાબેન અને મધુબેન સાથે અમારી રોડ સફર શરૂ થઈ. ખારઘર પનવેલથી ખપોલી, પાલી થઈ અને રાયગઢનો રસ્તો લીધો.  આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો હતો. જેના ગૌરવ સ્વરૂપ કેટલાંક સાઈકલ સવારો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે આ પ્રવાસને ગૌરવપથ બનાવતાં તેજ ગતિએ સાઇકલની ઉડાન ભરી રહ્યાં હતાં તો ક્યાંક શાળાઓમાં ઉજવણી જોવાં મળી રહી હતી. ભારત દેશની વિશેષતા તેનું વૈવિધ્ય છે, પછી તે ભાષાનું હોય, સંસ્કૃતિનું હોય કે ભૌગોલિક. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમ્વિષ્ટ આપણાં વેસ્ટર્ન ઘાટ પણ દેશની અનેરી વિશેષતા છે. ગુજરાતની સરહદે આવેલાં તાપી જિલ્લાના સાતપુડાની પર્વતમાળા થી શરૂ કરી, મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ પર્વતમાળા અને કેરળમાં સહ્યમ પર્વતમાળા તરીકે ઓળખાતી આ ગિરિમાળાઓ છેક તમિલનાડુ સુધી વિસ્તરેલી છે. આ ગિરિમાળાઓ જ...

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

Image
કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (પાર્ટ 1) આજથી લગભગ 38 વર્ષ પહેલાં શાળાકાળ દરમિયાન ટ્રેનમાં પ્રવાસ કરીને ગોવા જવાનું થયેલું. સેકન્ડ ક્લાસની ટિકિટ હતી. લગભગ ચોવીસ કલાકની મુસાફરી હતી. સવાર પડી અને અચાનક જ ટ્રેનમાં બેઠેલાં લોકોમાંથી મોટાભાગના બારી બહાર ડોકિયા કરવાં લાગ્યાં અને કેટલાક તો દરવાજા તરફ દોડીને દરવાજો ખોલીને ઊભા રહી ગયાં. પહેલાં તો કંઈ સમજાયું નહીં એટલે મોટા લોકોની પાછળ હું પણ દોડી. જોયું તો ટ્રેન જાણે સ્વર્ગ વચ્ચેથી પસાર થતી હોય તેમ લાગ્યું. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી... વોટર ફોલ, પહાડોની વચ્ચે ક્યારેક ખીણમાંથી તો ક્યારેક ઊંચા બ્રિજ પરથી પસાર થતી અમારી ટ્રેન. નાળિયેર, સોપારીનાં ઊંચા ઊંચા વૃક્ષો જાણે આભને ઢાંકીને ઊભા હોય અને વચ્ચેની ટનલમાંથી આપણે પસાર થતાં હોઈએ એવું દૃશ્ય. એ સમયે પ્રવાસમાં જવાનો આજના યુગ જેવો કોઈ ટ્રેન્ડ નહતો એટલે પોતાના વતન સિવાય કોઈ દુનિયા જોઈ નહતી એટલે આ પ્રવાસે દિલ અને દિમાગ પર કાયમ માટે કબજો જમાવી દીધો. ત્યારે જોયેલું ટ્રેલર આજે વર્ષો પછી ફિલ્મની જેમ માણવા મળ્યું.   ત્યારબાદ જેટલીવાર ગોવા જવાનું થયું ત્યારે ફલાઇટમાં જવાનું જ બન્યું એટલે ક...

અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર

નર્મદે હર વિશ્વની એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે તે છે માં નર્મદા, માં રેવા.... યુનેસ્કોની નોડલ એજન્સી દ્વારા  અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો તે બદલ ખૂબ આનંદ , ગૌરવ અને ઉત્સાહની લાગણી અનુભવું છું... દેર આયે દુરસ્ત આયે મુજબ આ ગૌરવ માં નર્મદાનું નથી કારણ તેને ગૌરવાન્વિત થવાની જરૂર નથી પણ દરેક ભારતીય માટે ગૌરવની પળ જરૂર છે.. 3600 કિમી જેટલાં લાંબા પથ પર જળ જમીન, જંગલ ,પહાડના રસ્તે  બાલ સ્વરૂપથી અફાટ સમુદ્ર સ્વરૂપે વિસ્તરિત માં નર્મદા પોતાની સાથે માત્ર જળ નહીં પરંતુ હજારો વર્ષ જૂની સંસ્કૃતિને ધારણ કરીને વહી રહી છે. પુરાતનકાલીન સાંસ્કૃતિક ધરોહરોનો વારસો તેનાં સાંનિધ્યમાં સચવાઈ રહ્યો છે જે સહસ્ત્રધારા , મહેશ્વર, અમરકંટક, માંડુમાં ઇતિહાસ સ્વરૂપે હોય કે પછી શૂળપાણી, બડવાહ, બડેલ કે જયંતી માતાના જંગલ સ્વરૂપે. જેનાં દર્શન માત્રથી જીવનની સાર્થકતા અનુભૂત અને ફળીભૂત થાય છે તે માં નર્મદાજીનાં સાંનિધ્યમાં મારી જાતને ચાર માસ સુધી અનુભવવા બદલ ધન્યતા, કૃતજ્ઞતા અને ચીર આનંદ અનુભવું છું....

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ

Image
માં નર્મદે હર... #3600kmyatra પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ  તા.15/12/2024 આજે માં નર્મદા મૈયાની મારી પરિક્રમા યાત્રાનો એક માસ પૂર્ણ થયો. તા. 13 નવેમ્બર 2024નાં રોજ રાજકોટથી નીકળી ઈન્દોર પહોંચી. ત્યાંથી ઓમકારેશ્વર અને તા.15 નવેમ્બર 2024નાં સંકલ્પ પૂજા કરી લગભગ 10.30 કલાકે મારી યાત્રા શરૂ કરી. રાજકોટથી હું સાવ એકલી જ નીકળી છું. કોઈ ગ્રુપ, સંઘ કે સથવારો શોધવાનો પ્રયત્ન કર્યો નથી. શરૂઆતમાં ઘરમાં બધાને થોડી ચિંતા પણ હતી અને  સંશય પણ રહ્યો કે, એકલાં કરવાનો નિર્ણય બરાબર હશે કે કેમ? આજે કહી શકું છું કે, આ યાત્રા એકલાં કરવાનો આનંદ અવર્ણનીય છે. એવું કહેવાય છે કે, એક નિરંજન, દો સુખી, ત્રણમાં ખટપટ અને ચાર તો શું થાય તે નક્કી નહિ. સદ્દનસીબે મેં તો કુદરતી રીતે જ એકલાં પરિક્રમા કરવાનો નિર્ણય કર્યો જેના માટે આજે ખૂબ ખુશી અનુભવું છું.  આ ત્રીસ દિવસમાં લગભગ 850કિમી જેટલું અંતર પગપાળા પસાર કર્યું. સુંદર દ્રશ્યો અને યાત્રાનો આછેરો પરિચય જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે વાચકોને આપ્યો છે. આ સિવાય આ યાત્રાનાં અન્ય અનુભવ...